JIO યૂઝર્સ માટે સતત નવી નવી ઓફર લઇને આવી રહી છે. હવે જિયોએ નવી કેશબેક ઓફરની જાહેરાત કરી છે. એમાં કંપની 398 અથવા એનાથી ઉપરના રિચાર્જ પર 400 રૂપિયાની જિયો કેશબેક આપી રહી છે. 300 રૂપિયાની કેશબેક સિલેક્ટેડ ડિજીટલ વોલેટ પર આપવામાં આવી રહી છે. માયજિયો એપથી રિચાર્જ કરાવતાં જ જિયો એપના મા વાઉચર સેક્શનમાં 50 50 રૂપિયાના 8 વાઉચર ટ્રાન્સફર થઇ જશે જેનો ઉપયોગ 398 રૂપિયા અથવા એનાથી વધારેના રિચાર્જ અને 91 રૂપિયા અથવા વધારે ડેટા એન્ડ ઓન રિચાર્જમાં કરી શકો છો.
ધ્યાનમાં રાખો કે તમે એક સમયમાં માત્ર એક જ વાઉચરનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે આગળ રિચાર્જ કરાવશો તો તમને 50 રૂપિયાની કેશબેક મળતી જશે. આ ઓફર ઓનલાઇનરિચાર્જ કરાવવા પર 16 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે મળશે.
300 રૂપિયા સુધીને કેશબેક બીજી ઓનલાઇન જેમ કે અમેઝોન પે ફોન પે ફ્રીચાર્જ અને Paytm જેવા વગેરે આપી રહ્યા છે..
રિલાયન્સ JIO નું રિચાર્જ અમેઝોન પે પરથી કરવા પર નવી અને જૂના યૂઝર્સને 50 રૂપિયાની કેશબેક આપવામાં આવી રહી છે. મોબિક્વિકથી જિયોના નવા અને જૂના યૂઝર્સ રિચાર્જ કરતી વખતે JIOGIFT કોડ નાંખશે તો 300 રૂપિયાની કેશબેક મળી જશે. Paytm થી જિયોનું 398 રૂપિયા અથવા એનાથી વધારેના રિચાર્જ કરતી વખતે નવા યૂઝર NEWJIO કોડ નાંખશો તો એમને 50 રૂપિયાની કેશબેક મળશે. આ ઉપરાંત જૂના ગ્રાહકો PAYTMJIO કોડ નાંખશે તો એમને 30 રૂપિયાની કેશબેક મળશે.
એક્સ્સ પે થી રિચાર્જ કરવા પર જિયોના નવા યૂઝર્સને 100 રૂપિયાની કેશબેક મળશે. જો તમે જૂના યૂઝર્સ છો તો તમને 300 રૂપિયાની કેશબેક મળશે. ફ્રીચાર્જથી રિચાર્જ કરતી વખતે JIO30 નાંખવા પર જિયોના નવા અને જૂના યૂઝર્સને 30 રૂપિયાની કેશબેક મળી જશે. ફોન પે રિચાર્જ કરવા પર જિયોના નવા યૂઝર્સને 100 રૂપિયાની કેશબેક મળશે અને જૂના યૂઝર્સને 30 રૂપિયાની કેશબેક મળશે.