રાજયમાં ફરી મતદાનને લઇને અને એક્ઝિટ પોલ પર અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણીએ વડગામમાં નિવેદન આપ્યું છે. એક્ઝિટ પોલ પર કહ્યું કે એક્ઝિટ પોલ બકવાસ છે. આ વખત ભાજપની સરકાર નહી આવે.
અને ફરી મતદાન પર જણાવ્યું હતું કે એકવાર થાય મતદાન કે બે વાર અમારા માટે ફાયદો છે. ફરી મતદાનથી અમારી બેઠકો વધશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરિણામને લઇ તમામની નજર ગુજરાત પર છે ત્યારે ચુંટણી બાદ વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલ એક્ઝિટ પોલ જાહેર કર્યો હતો તેમાં ભાજપ ફરી સત્તા પર આવશે તેવા એંધાણ કર્યા હતા ત્યારે ગુજરાતના વિવિધ પક્ષો દ્વારા પોતાનો પક્ષ જ જીત મેળવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
ત્યારે આજે અપક્ષના ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતુ કે આ એક્ઝિટ પોલ બકવાસ છે અને આ વખતે ચોક્કસ ભાજપ સરકાર હારશે. અપક્ષ ઉમેદવારના આ નિવેદનને પગલે રાજકારણમાં ગરમાવો ફેલાઇ ગયો હતો.