RTI એક્ટીવિસ્ટ અમિત જેઠવાની હત્યાના મામલે દલિત નેતા જીગ્નેશ મેવાણીએ ભાજપ પર આક્ષેપો લગાવતા પ્રહાર કર્યા છે. મેવાણીએ આક્ષેપો લગાવ્યા છે કે અમિત જેઠવાના આરોપી દિનુ બોઘા ભાજપના નેતાઓના ખાસ માણસ છે.
તેથી ભાજપના નેતાઓ દિનુ બોઘાને છાવરી રહ્યા છે અને હજુ સુધી દિનુ બોઘાની ધરપકડ કરવામાં આવી નથી પરંતુ જો આગામી દિનુ બોઘાની ઘરપકડ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.