સુરતઃ જિગ્નેશ ભજીયાવાળાને આવકવેરા વિભાગે સમન્સ પાઠવ્યું છે. જિગ્નેશ ભજીયાવાળાને ત્યાંથી નોટબંધી સમયે કરોડો રૂપિયાનું કાળુ નાણું ઝડપાયું હતું. આ મામલે EDએ PMLA કેસમાં તેની ધરપકડ઼ પણ કરી હતી.
જોકે એક વર્ષ બાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ આવકવેરા વિભાગે નોટિસ ફટકારી છે. આઈટી કરોડો રૂપિયાની પ્રોપર્ટી અને કેશ અંગે જિગ્નેશ ભજીયાવાળાનો જવાબ નોંધશે.
મહત્વનું છે કે આ અગાઉ તેના પિતા કિશોર ભજીયાવાળાને પણ નોટિસ ફટકારાઈ હતી.