આમ તો જીરાને મસાલા તરીકે શાકમાં ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જીરું અથવા એનું પાણી ઘણી બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ જીરાનું પાણી પીવાના ફાયદા વિશે. જીરાનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું નાખીને પલાળી દો. સવારે એ પાણીને ઉકાળી દો. એને ગાળી લો અને નવશેકું કરીને પી લો.
- જીરાનું પાણી પીવાથી બોડીમાં ચરબીનું અબ્જોર્બશન ઓછું થાય છે. મેદસ્વિતા ઘટાડવામાં મદદરૂપ થાય છે.
- આ ડ્રિંક પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે આ હાર્ટ સમસ્યાથી બચાવે છે.
- જીરાના પાણીમાં થાયમોલ હોય છે. એને પીવાથી પેટ સાફ કહે ઠે અને કબ્જિયાત થતી નથી.
- જીરાની ચા માં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. એને પીવાથી BP કંટ્રોલમાં રહે છે.
- જીરાના પાણીમાં આયરન હોય છે એ એનીમિયાથી બચાવે છે.
- એમાં વિટામીન B6 હોય છે. એને પીવાથી મગજની તાકાત વધે છે.
- જીરાનું પાણી બોડીને ડિટોક્સ કરે છે. આ સ્કીનનો ગ્લો વધારે છે.
- રેગ્યુલર આ પાણી પીવાથી બોડીમાં ગ્લૂકોઝ લેવલ મેન્ટેન રહે છે. એ ડાયાબિટીસથી બચાવે છે.
- જીરાનું પાણી પીવાથી મસલ્સ રિલેક્સ થાય છે. બોડી પેનથી રાહત મળે છે.