ભાવનગરમાં ગઇકાલે રાજ્યના મંત્રી અને ભાવનગર જિલ્લા ના પ્રભારી જાશાભાઈ બારડ દ્વારા ઉતાવળે પ્રેસ કોંફરન્સ બોલાવવામાં આવી હતી જો કે આ પ્રેસ કોંફરન્સ માં બબાલ થતા જશાભાઈ એ ચાલતી પકડી હતી.
ભાવનગર બુધેલના સરપંચ દાનસીંગ ભાઈ મોરી ને ડીડીઓ એ સસ્પેન્ડ કરતા અને બાદમાં પોલીસે કેસ કરતા આ ઘટના માં જીતુ વાઘાણીનો હાથ હોવાની ચર્ચા તે મુદ્દો લઇ ને હાલ કારડીયા સમાજ જીતુ વાઘાણી ની સામે છે અને સરકાર જીતુ ભાઈ સામે પગલા ભારે તેવી સમાજે માંગ કારી છે આજે આ મુદ્દે જશા ભાઈ બારડ આ કેસ માં જીતુ વાઘાણી નો કોઈ રોલ નથી તેવું કહેવા પ્રેસ બોલાવી હતી.
આ ઘટના ની જાણ થતાં દાનસીંગ ભાઈના સમર્થકો હોટલ માં ઘુસી ગયા હતા અને હોબળો માચાવવા લાગ્યા હતા આ યુવકો એ દાનસંગ મોરી નિર્દોષ છે તેમ જણાવયુ હતું અહીં યુવકોએ જીતુ વાઘાણી હાય હાયના સૂત્રો પોકાર્યા હતા તેથી જશાભાઈ પ્રેસ છોડી ને જતા રહ્યા હતા.