રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારોની એક સપ્તાહની શાળા-કોલેજોમાં રજા પડી ગઇ છે અને સમગ્ર સૌરાષ્ટ્ર ફેસ્ટિવલ ફીવરનો માહોલ સર્જાયો છે. ત્યારે રાજકોટના રેસકોર્સના મેદાનમાં યોજાયેલા લોકમેળામાં રમકડાં ખાણીપીણી આઇક્રિમ અને યાંત્રિક રાઇડસના 321 સ્ટોલ ઉપરાંત 26 સ્ટોલ સંસ્થાઓના ઉભા કરવામાં આવ્યા છે.
ઉપરાંત આ વર્ષે લોકમેળાના એરપોર્ટ તરફના ગેટ પાસે સેલ્ફી ઝોન ઉભો કરાયો છે. જે લોકમેળાના મુલાકાતીઓનું આકર્ષણનું કેદ્ર બન્યું છે. લોકમેળામાં મહાલવા આવતા લોકો પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે સેલ્ફી થ્રી-ડી ઇમેજથી લઇ શકશે. લોકમેળા પાંચેય દિવસ સવારે 9 થી રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.