ગાંધીનગર: છેલ્લા કેટલાય દિવસોથી સમાન કામસમાન વેતન તેમજફિક્સ પગારઅને કાયમી કરવાના મુદ્દે વિરોધ કરી રહેલી આશાવર્કર બહેનોએ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે જન વેદના સંમેલન યોજયું હતું. આ સંમેલનમાં 108ના કર્મચારીઓ પણ જોડાયા હતા.
દિવાળી આવી છે ત્યારે તમામ કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓ સાથે સરકાર સામે ધરણાં યોજીને બાયો ચડાવી છે. ફિકસ પગાર સામે લડત ચલાવનાર પ્રવિણ રામે આ સંમેલનમાં સરકારને ચીમકી આપી છે કે જો સરકાર કર્મચારીઓની 15 માંગણીઓને જલ્દીથી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં ચૂંટણી ટાણે કડક જવાબ આપવામાં આવશે.