જન વિકલ્પ મોરચાના ચૂંટણી પ્રચારે નીકળેલા શંકરસિંહ વાઘેલાએ વડોદરા ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં 182 બેઠકો પર જન વિકલ્પ મોરચાના ઉમેદવારને તૈયાર કરવામાં આવશે.
આ ઉમેદવાર જે તે વિસ્તારના સ્થાનિક અને સ્વચ્છ છબી તથા લોકોમાં જાણીતા હશે. સાથે શંકરસિંહ પોતાની વાત કરતા જણાવ્યું કે બન્ને પક્ષમાં ચાપલુશી કરનારા લોકોને જ ટિકિટ મળે છે અને તે જ પાર્ટીના લોકો ઉમેદવારને હરાવવાનો પ્રયાસ કરે છે. સાથે જણાવ્યું કે કોંગ્રેસ છોડયા બાદ મને સામાન્ય લોકોનો સાથ મળી રહ્યો છે.