જામનગર: શહેરની જી.જી. હોસ્પિટલની ઘોર બેદરકારી છતી કરતો કિસ્સો સામે આવ્યો છે. આ હોસ્પિટલે ચાર બાળકોની જિંદગી બરબાદ કરી નાખી. જી.જી. હોસ્પિટલમાં થેલેસેમિયા વોર્ડમાં દાખલ બાળકોને લોહી ચડાવ્યા બાદ HIV ટેસ્ટ કરતા ચાર બાળોકોનો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જેના કારણે હોસ્પિટલના વહીવટી તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે. હાલ તો હોસ્પિટલના વહીવટી તંત્રએ સમગ્ર મામલે મૌન સેવ્યું છે.
મહત્વનું છે કે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવ્યા બાદ એચઆઇવી રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલ તંત્ર મૌન છે. પરંતુ આ બાળકોની જિંદગી બરબાદ થવા પાછળ જવાબદાર કોણ? લોહી ચડાવ્યા બાદ HIV પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મોટી બેદરકારી કેમ સર્જાય?