જામનગરમાં તસ્કરોએ આતંક મચાવ્યાની ઘટના સામે આવી રહી છે.શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલું ATM તુટયુ છે.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું ATM તુટતા પોલીસ હરકતમાં આવી ગઈ છે.
જો કે હજુ સુધી જાણી શકાયું નથી કે ATMમાં ચોરી શઈ છે કે નહીં ? હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ચોકીદારનું નિવેદન લીધુ હતું અને વધુ તપાસ હાથ ધરી છે
ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ઠંડીનો મહોલ જામ્યો છે ત્યારે લોકો ઘરમાં જ ભરાઇ રહેવાનું પસંદ કરતા હોય છે. આ સમયગાળામાં ચોરોને મોકળું મેદાન મળી જાય છે ત્યારે ફરીએકવાર ATM તુટવાની ઘટના બની હતી.
આ ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી કે ATMમાંથી કેટલી રકમ ચોરાઇ છે. આ ઘટનાની જાણ નજીકની SBI શાખાને કરાતા બેંકના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.