તહેવારને લઇને જામનગરમાં મનપાની આરોગ્યની ટીમે સપાટો બોલાવ્યો છે. આરોગ્યના અધિકારીઓએ સતત આજે પાંચમા દિવસે હોટેલ- રેસ્ટોરન્ટમાં તવાઇ બોલાવી હતી. લાલપુર રોડ પર આવેલા ચાર રેસ્ટોરન્ટ પર કાર્યવાહી કરી તંત્રએ 40 કિલો અખાદ્ય જથ્થો કબ્જે કરી નાશ કર્યો હતો.
યોગી ફૂડ શિવમ ક્રિષ્ના રેસ્ટોરન્ટ ઢોસા હાઉસ ઠાકર રેસ્ટોરન્ટ નામના એકમો પર આરોગ્યની ટીમે તવાઇ બોલાવી હતી. તમામ સ્થળોએથી લોટ મન્ચુરિયન બટાટા ચટણી સહિતનો 40 કિલો અખાદ્ય જથ્થાનો નાસ કરાયો હતો.
જામનગરમાં સતત આજે પાંચમા દિવસે આરોગ્યના દરોડા યથાવત્
લાલપુર રોડ પર આવેલા ચાર હોટેલ-રેસ્ટોરન્ટમાં બોલાવ્યો સપાટો