જામનગર: ગુજરાતભરમાં ઉત્તરાયણના તહેવારને લઇને ઠેર-ઠેર આયોજન કરવામાં આવ્યા છે ત્યારે વિવિધ જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે.
જામનગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ચાઇનીઝ દોરાનો ઉપયોગ ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ના કરવા અંગે એક જાહેનામું બહાર પાડવામાં આવેલ છે.
આ જાહેરનામાંનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ તંત્રને કડક સુચનાઓ પણ આપવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે આ માસની 14 અને 15 તારીખના રોજ ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણ તહેવારની ઉજવણી થવાની છે ત્યારે ચાઇનીઝ દોરીના વપરાશને કારણે કોઇ પશુ-પક્ષી કે માનવીને નુકસાન ના પહોંચે તે માટે જામનગર જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.