જામનગરઃ ગુજરાત વિકાસની ગતિ પ્રાપ્ત કરી રહ્યું છે ત્યાર જામનગરે પણ એક હવાઇ વિકાસની શરૂઆત કરવા જઇ રહ્યું છે. જામનગરમાં જાન્યુઆરી માસથી વિમાની સેવાનો પ્રારંભ થશે. જામનગરથી અમદાવાદ વચ્ચે વિમાની સેવાનો પ્રારંભ થશે. જેની સંભવિત તારીખ 15મી જાન્યુઆરી પ્રથમ ઉડાન ભરશે. જામનગર-અમદાવાદ વચ્ચે ડેઇલી માટે વિમાની સેવા શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે એર ઓડિશા એરલાઇન્સ દ્વારા વિમાની સેવા અપાશે. ભારત સરકાર દ્વારા નાના શહેરોને મોટા શહેરોના એરપોર્ટથી જોડાશે. "ઉડાન" પ્રોજેક્ટ હેઠળ નાના શહેરોને મોટા શહેરોના એરપોર્ટથી જોડવામાં આવશે.
એરલાઇન્સ દ્વારા જામનગર એરપોર્ટ પર સર્વે કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. આગામી સમયમાં ગુજરાતમાં નાના શહેરોને વિમાની સેવાથી જોડવાનું મોટું અભિયાન હાથ ધરાઇ રહ્યું છે.