શ્રીનગર: જમ્મુ કાશ્મીરના વરિષ્ઠ મંત્રી નઇમ અખ્તર આતંકીઓના ગ્રેનેડ હુમલામાં બચી ગયા છે. ગુરુવાર બપોરે સુરક્ષાબળોને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં બે લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 2 ડઝનથી વધારે લોકો ઘાયલ થયા છે. ગ્રેનેડ બ્લાસ્ટમાં જમ્મુ કાશ્મીરમાં પોલીસ અને પેરા મિલિટ્રી ફોર્સના ઘણા જવાનો ઘાયલ થયા છે.
આતંકીઓએ ગુરુવારે દક્ષિણ કાશ્મીરના પુલાવામાં ત્રાલમાં બસ સ્ટેશનની પાસે ગ્રેનેડને ભીડભાડ વાળા માર્કેટમાં બ્લાસ્ટ કર્યો. પોલીસ અધિકારીઓ પ્રમાણે બ્લાસ્ટ 11 વાગ્યેને 45 મિનીટ પર થયો જેમાં બે લોકો માર્યા ગયા અને બીજા છ અન્ય લોકો ઘાયલ થયા છે. જમ્મુ-કાશ્મીરના પબ્લિક વકર્સ મંત્રી અખ્તર બચી ગયા.
સૂત્રો પ્રમાણે માર્યા ગયેલા બે લોકો માંથી એક મહિલાનો સમાવેશ થાય છે. આ લોકો ત્રાલ બસ સ્ટેશનની પાસે થયેલા બ્લાસ્ટમાં માર્યા ગયા. ઘાયલોને ત્રાલની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગ્રેનેડ હુમલાના 15 મિનીટ બાદ બપોરે 12 વાગ્યાની નજીક ત્રાલ બસ સ્ટેન્ડની પાસે અજાણ્યા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. સીઆરપીએફની 180 બટાલિયનના 7 જવાન પણ ઘાયલ થયા છે.