શ્રીનગરઃ જમ્મૂ કશ્મીરના હંદવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ છે. આ અથડાણમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. હંદવાડામાં આતંકીઓએ સુરક્ષાબળોના જવાનો પર હુમલો કરી દીધો હતો સામે સુરક્ષાબળઓએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
ઠાર મરાયેલા આતંકીઓ હિજમુલ મુજાહિદ્દીનના હોવાની આશંકા છે. આ ઘર્ષણમાં જમ્મૂ કશ્મીર પોલીસનો એક જવાન પણ ઘવાયો છે. આ વિસ્તારમાં વધુ કેટલાક આતંકીઓ છુપાયા હોવાની આશંકા સાથે સેના સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
આ અથડામણમાં બન્ને તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. મળતી માહિતી મુજબ બન્ને આતંકવાદી હિબ્ઝુલ મુજાહિદ્દીનના હોઇ શકે છે. જેના જવાબમાં સુરક્ષાદળોએ પણ તેમને જડબાતોડ જવાબ આપ્યો છે.