સુરત દિગંબર જૈન મુનિના બળાત્કાર મામલે આજ રોજ યુ-ટન આવ્યો છે. જૈન સમાન દ્વારા પીડિતા યુવતી દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને તે પૂર્ણ નહીં થતા આ આખું પ્રકરણ સામે આવ્યુ છે. આ મામલે જૈન સમાજ દ્વારા પિડીતા સામે ફરિયાદ કરવાની વાત પણ કરી છે. દિગંબર જૈન સમાજે એક પ્રેસ કોન્ફરસ કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે પીડિતા યુવતી અને તેના પરિવાર દ્વારા સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં કરવામાં આવેલા કાર્યક્રમમાં લાગેલ બોલીમાં સમાજ દ્વારા 2 કરોડ 99 લાખ રૂપિયામાંથી 40 ટકા ભાગ માંગવામાં આવ્યો હતો અને તે નહીં મળતા આ યુવતીએ મુનિને ફસાવી નાખીયા છે. આગામી દિવસોમાં પોલીસ તટસ્થ તપાસ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.