સુરતઃ 9 વર્ષની વિદ્યાર્થિની પર 49 વર્ષીય જૈન આચાર્ય શાંતિસાગરે કરેલા દુષ્કર્મના કેસમાં શનિવારે મોડીરાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ દરમિયાન શાંતિસાગરે તબીબને કહ્યું કે યુવતી સાથે બધુ સંમતિથી થયું હતું. 1લી ઓકટોબરના રોજ તેમણે જીવનમાં પહેલીવાર આ શારીરિક સંબંધ બાંધ્યો હતો. શાંતિસાગરે કરેલી આ કબૂલાતને મહિલા તબીબે MLC નોટમાં નોંધી છે.
શનિવારે રાત્રે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ પરીક્ષણ માટે લવાયેલા દુષ્કર્મના આરોપી શાંતિસાગરે પોતાને ફસાવવામાં આવ્યો હોવાનું તો કહ્યું હતું પરંતુ સાથે વિદ્યાર્થિની સાથે બધુ સહમતીથી જ થયું હોવાનું કહીં ગુનાની કબુલાત જ કરી લીધી હતી. જ્યારે તબીબે આરોપી આચાર્યને કહ્યું કે તેઓ તો દિગંબર સાધુ છે. તેમણે તો તેમ ના કરવું જોઈએ. તેવું કેમ કર્યું ? આ બાબતની નોંધ હોસ્પિટલના એમએલસી રજિસ્ટરમાં પણ કરાઇ છે.