ઇસ્લામાબાદ: પાકિસ્તાને કુલભૂષણ જાધવને મળવા માટે એમની માં અને પત્નીને પરવાનગી આપી દીધી છે. પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું છે કે કુલભૂષણની માં એમની સાથે એની પત્નીને પણ લાવી શકે છે. આ મુલાકાત 25 ડિસેમ્બરે થવી જોઇએ. એમની સાથે ભારતીય ઉચ્ચ આયોગના કોઇ અધિકારી એમની સાથે હોઇ શકે છે.
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આ માટેની ટ્વિટર પર જાણકારી આપી છે. સ્વરાજએ ટ્વિટર પર લખ્યું છે કે પાકિસ્તાની સરકારે સૂચન કર્યું છે કે કુલભૂષણની માં અને એમની પત્નીને વિઝા આપશે.
જણાવી દઇએ કે નવેમ્બર મહિનામાં પાકિસ્તાનને ભારતને સૂચન કર્યું હતું કે એ જાધવ અને એનીએની પત્નીને માનવીય આધાર પર મંજૂરી આપવા માટે તૈયાર છે. આ પહેલા ભારતે પાકિસ્તાનને અનુરોધ કર્યો હતો કે પહેલા જાધવની માં ને મળવાની પરવાનગી આપવામાં આવે. જાધવને પાકિસ્તાનમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
હાલમાં પાકિસ્તાને જાધવની પત્ની અને માં બંનેને મળવાની પરવાનગી આપી છે.