આરએસપુરા: પાકિસ્તાન તરફથી એક વખત ફરીથી સીઝાફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. 24 કલામાં આ બીજી વખત છે કે પાકિસ્તાનની આવી હરકત સામે આવી છે. શુક્રવારે સવારે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર જમ્મુના આરએસપુપરા અરનિયા રામગઢ સેક્ટરમાં ગોળીબાર કર્યો. પાકિસ્તાનના ગોળીબારમાં એક મહિલા સહિત બે સ્થાનિક લોકોના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે પણ આરએસપુર સેક્ટરમાં જ ગોળીબાર કરવામાં આવ્યો હતો. BSF તરફથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. બીએસએફના સૂત્રોનું માનીએ તો પાકિસ્તાન તરફથી ભારતની 30 40 પોસ્ટ પર ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની રેન્જર્સ ભારતીય નાગરિકોને પણ ટાર્ગેટ બનાવી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે ગુરુવારે ભારતીના કરારી કાર્યવાહીમાં 3 પાકિસ્તાન રેન્જર્સ સહિત કુલ 8 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાન તરફથી ગોળીબારમાં ભારતનો એક કોન્સ્ટેબલ અને એક નાની બાળકી શહીદ થઇ ગઇ હતી.