પાકિસ્તાનની નાપાક હરકરતો દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે આજે ભારતીય સેનાના વડા જનરલ બિપિન રાવતે પાક.ને એક ખુલ્લી ધમકી આપતા જણાવ્યું છે કે તમે સરહદ પાર કરીને આવશે તો તમને જમીનમાં અઢી ફુટ નીચે દફનાવી દઈશું. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતુ કે આતંકવાદી તૈયાર બેઠા છે ત્યારે અમે પણ તેના માટે તૈયાર જ છીએ. જો તેઓ તેમની મર્યાદા ઓળંગશે તો અમે તેમને અઢી ફુટ જમીન નીચે મોકલતા રહીશું. થોડા સમય પહેલા કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઈક પાક. માટે એક સંદેશ હતો કે ભારતને ઓછું ના આંકે. અને હજુ જરૂર પડે તો ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક કરવા ભારતીય સેના તૈયાર છે.
ઉલ્લેખનીય છે ભારતીય સેનાના સેનાધ્યક્ષના આ નિવેદનને પગલે આતંકવાદીઓમાં ભયનો માહોલ સર્જાઇ ગયો છે. એક અહેવાલ મુજબ આ વર્ષે અત્યારસુધીમાં ભારતીય સેનાએ 150થી વધુ આતંકીઓનો ખાતમો કરી નાખ્યો છે. એ વાત પણ નોંધનીય છે કે 29 સપ્ટેમ્બર 2016માં ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ઉરી હુમલા બાદ ભારતની આ જવાબી કાર્યવાહી હતી. સર્જિકલ સ્ટ્રાઈકમાં ભારતીય સેનાએ LoC પર આતંકિઓના 7 ઠેકાણાને નિશાન બનાવ્યું હતું અને આ ઓપરશેનમાં 30થી વધુ આતંકિઓને ઠાર કર્યા હતા.