વડોદરા:આવકવેરા વિભાગ દ્વારા જવેલર્સ પર દરોડા પાડવાની શરૂઆત કરવામાં આવી છે.આવકવેરા વિભાગ દ્વારા જોયઆલુક્કાસ જવેલર્સ પર દરોડા પાડવામાં આવ્યા છે.રાજ્યમાં તમામ મોટા શહેરમાં જોયઆલુક્કાસ પર IT વિભાગે દરોડા પાડયા છે.
જોયઆલુક્કાસ જવેલર્સમાં IT વિભાગના અધિકારીઓએ દરોડા પાડીને સર્વે હાથ ધર્યો છે.અમદાવાદ શહેરમાં આવકવેરા વિભાગની 8 અધિકારીઓની ટીમ કામે લાગી છે અને હાલમાં દસ્તાવેજ અને ફાઈલોની તપાસ કરવામાં આવી રહી છે.
ડિજિટલ અને કાગળ પરના રેકોર્ડ ચકાસવાની કામગીરી શરૂ થઈ છે.જ્યારે ખરીદ અને વેચાણ રેકોર્ડ સર્વે કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઇન્કમટેક્સ વિભાગે વહેલી સવારથી રાજ્યના વિવિધ શહેરો સહિત દેશભરમાં જોયઆલુક્કાસના શો-રૂમ ઉપર દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથધર્યું છે.
મળતી માહિતી પ્રમાણે ગુજરાત સહિત દેશમાં જોયઆલુક્કાસના 130 જેટલા શો રૂમ છે જેમાં સવારથી જ આવક વેરા વિભાગે ધામા નાખ્યાં છે. આઈટીના અધિકારીઓ દ્વારા કમ્પ્યૂટર હાર્ડ ડિસ્ક અને હિસાબી ચોપડા જપ્ત કર્યા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ દરોડામાં મોટા પ્રમાણમાં કર ચોરી બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.