વડોદરામાં બિલ્ડરલોબી પર IT વિભાગે સપાટો બોલાવ્યો છે.શહેરના અનંતા અને હાથી ગ્રૃપ પર ITના દરોડા હાથ ધરવામાં આવ્યા છે.બંને ગ્રૃપની ઓફિસો પર ITના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દરોડા દરમિયાન મોટી કરચોરી બહાર આવે તેવી આશંકા સેવાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કરચોરી કરતા અને બેનામી સંપત્તિ ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનું કામ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે દેશભરમાં આયકર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર મિલકતો ધરાવનારા સામે લાલ આંખ કરવામાં આવી હતી જેના કારણે વડોદરામાં પણ IT દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં.
આપને જણાવી દઇએ કે ગતરોજ મોડી રાતે બોલીવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાનના બંગલે પણ આયકર વિભાગ ત્રાટક્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આજે ગુજરાતના વડોદરા ખાતે આવેલ અનંતા ગ્રુપ પર દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.