નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા કાળાનાણા માટે અભિયાનો શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આઈટી દ્વારા 30 લાખ રૂપિયાથી વધુ રજીસ્ટ્રેશનની કિંમતની સંપતિની તપાસ કરવામાં આવી શકે છે. બેનામી સંપત્તિ રાખવા વાળા લોકો સામે પગલા લેવામાં આવી રહ્યા છે.
આઈટી વિભાગ બેનામી એક્ટ હેઠળ 30 લાખથી વધુ પ્રોપર્ટી રજીસ્ટ્રેશનના ટેક્સ પ્રોફાઈલ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સેજના ચેરમેન સુશીલ ચંદ્રાએ કહ્યુ કે આઈટી વિભાગના અધિકારીઓ તેવી કંપનીઓ અને તેમના ડાયરેક્ટરોની તપાસ કરી રહી છે.
જેમના પર અત્યારે પ્રતિબંધ લગાવવામાં આવ્યુ છે. આઈટી ડિપાર્ટમેન્ટ મુજબ બેનામી સંપતિ લેવા અને વેચવા એક્ટ હેઠળ અત્યાર સુધી 621 સંપતિને અટેચ કરવામાં આવી છે. જેમા ઘણાં બેંક અકાઉન્ટ્સ પણ શામેલ છે.
આ મામલાથી 1800 કરોડ રૂપિયા જોડાયેલા છે. જેના ભાગરૂપે આઈટી વિભાગ દ્વારા દેશમાં 24 યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં અલગ-અલગ સ્ત્રોતોથી જાણકારી મેળવવામાં આવી રહી છે.