દિલ્હી:ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ભારત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે.ત્યારે આજે તેઓ પોતાના પત્ની સાથે ભારતની ઓળખાણ સમો તાજમહેલ જોવા આગ્રા પહોંચ્યા હતા.આ દરમિયાન આગ્રામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.
આ સ્વાગત કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ કર્યું હતુ. જે બાદ તેઓએ દિલ્હીમાં રાયસિના ડાયલોગમાં પણ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નેતન્યાહૂના આગ્રા પ્રવાસને લઈ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો. સવારે 10.20 કલાકથી બપોરે 12.30 કલાક સુધી તાજમહેલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો હતો.
જે માટે સવારે 9.20 કલાકથી ટિકિટ આપવાનું બંધ કરી દેવાયો હતો. આજે આગ્રામાં તાજમહેલની મુલાકાત બાદ તેઓ બુધવારે અમદાવાદ આવશે. અમદાવાદમાં ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ અને તેમની પત્ની સારા સાથે વડાપ્રધાન મોદી રોડ શો કરશે.