હિન્દુઓ માટે ભગવાન રામનું નામ સૌથી મોટી આસ્થાનું પ્રતિક છે. રામ સાથે જોડાયેલી દરેક બાબત પ્રત્યે ભારતીયો શ્રદ્ધા ધરાવે છે.
રામનામ સાથે હિન્દુઓની ઉંડી આસ્થા જોડાયેલી છે. રામમંદિરની વાત હોય કે રામસેતુની વાતભારતીયો માટે રામ સાથે જોડાયેલી દરેક બાબત આસ્થાનું પ્રતિક છે. અયોધ્યામાં રામમંદિરને લઈને હલચલ ચાલી રહી છેએવામાં રામસેતુનું લઈને વધુ એક સૌથી મોટો ખુલાસો થયો છે.
રામસેતુને લઈને એક એવો પક્ષ એવો પણ છે જે રામસેતુને મિથ અથવા તો કલ્પના ગણાવે છે. ત્યારે સાયન્સ ચેનલોનો આ દાવો આવા લોકોની બોલતી બંધ કરનારો છે. આ ચેનલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છેજે ભારતીયોમાં ખૂબ લોકપ્રિય બન્યો છે.
જોત જોતામાં હજારો લોકોએ આ વીડિયો શેર કર્યો છે. ચેનલનો દાવો છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે બલુઈ રેખા પર આવેલા પથ્થરો બહારથી લવાયેલા છે.
જોકે આ પથ્થર ક્યાંથી આવ્યા છે એ એક રહસ્ય છે. એટલું જ નહીં ચેનલે કરેલા રિસર્ચમાં એવો પણ દાવો કર્યો છે કે બલુઈની સપાટી 4000 વર્ષ જૂની છેજ્યારે આ પથ્થરો અંદાજે 7000 વર્ષ જૂના છેએટલે કે આ પથ્થરોનો જન્મ આ જમીન પર નથી થયો. તે બહારથી આવ્યા છે. સાયન્સ ચેનલનો દાવો છે કે ભારત શ્રીલંકા વચ્ચેનો આ સેતુ માનવ નિર્મિત છે અને 5000 હજાર વર્ષ પૂર્વે તેને બનાવાયો હશે.