ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ તેમની ભારત મુલાકાતના ત્રીજા અને છેલ્લા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યો. આજે બંને દેશોની વચ્ચે ઘણા કરારો કરવામાં આવશે. ઇરાન ચાબહાર બંદરગાહને લઇને મહત્વનો નિર્ણય લઇ શકે છે.
બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે:
હસન રૂહાની શનિવારે એક બિઝનેસ ઇવેન્ટને પણ સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને નરેન્દ્ર મોદીને મળશે. બપોરે તેઓ અહીંયા હૈદરાબાદ હાઉસમાં મોદીની મુલાકાત કરશે. ત્યારબાદ બંને દેશોની વચ્ચે એગ્રીમેન્ટ પર સહી થશે.
રૂહાની શુક્રવારે હૈદરાબાદ મક્કા મસ્જિદમાં નમાજ અદા કરવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે ઇરાનનું ચાબહાર બંદરગાહ ભારત માટે (પાકિસ્તાનમાંથી પસાર થયા વગર) ઇરાન અને અફઘાનિસ્તાન મધ્ય એશિયાઇ દેશો સાથે યુરોપ સુધી ટ્રાન્ઝિટ રૂટ ખોલશે.
ઇરાન ભારતની સાથે તેલ શેર કરવા તૈયાર:
હસન રૂહાનીએ એમ પણ કહ્યું કે ''ઇરાન તેલ અને કુદરતી ગેસ રિસોર્સ મામલે અમીર છે. એટલે તે ભારતની પ્રગતિ માટે પોતાના આ નેચરલ રિસોર્સિઝ શેર કરવા માટે તૈયાર છે.''
આ ઉપરાંત રૂહાનીએ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધઓને મજબૂત કરવા માટે વીઝા નિયમોમાં છૂટ આપવાની પણ ઇચ્છા જાહેર કરી.