નવી દિલ્હી : જૈશ એ મોહમ્મદનાં આતંકવાદી ભારતમાં મોટા આતંકવાદી હૂમલાની ફિરાકમાં છે. આતંકવાદી નગરોટા-જમ્મુ-પઠાણકોટ વિસ્તારને પોતાનું નિશાન બનાવી શકે છે. ગુપ્તચર વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર જૈશનાં આશરે 10 આતંકવાદીઓ પાકિસ્તાનનાં રસ્તા ભારતમાં ઘુસવાની ફિરાકમાં છે. આ મુદ્દે સુરક્ષાદળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
એક સમાચાર ચેનલ અનુસાર 16 કોર્પ્સને આતંકવાદીઓને સંભવિત મુવમેંટની માહિતી મળી છે. ઉચ્ચ ગુપ્તચર સુત્રો અનુસાર આતંકવાદીઓએ આશરે એક મહિના પહેલા જ ઘુસણખોરી કરી છે. તેમાંથી કેટલાક આતંકવાદીઓ પુલવામાં તરફ નિકળ્યા છે જ્યારે કેટલાક શ્રીનગર તરફ ભાગી છુટ્યા છે. જો કે આતંકવાદીઓની મુવમેન્ટ અને તેમની સંખ્યા મુદ્દે ગુપ્તચર વિભાગ અને સ્થાનીક પોલીસની માહિતીમાં ફરક જોવા મળ્યો છે.
એક એજન્સી અનુસાર જૈશનાં આ આતંકવાદીઓમાં કેટલાક હાલનાં ધર્ષણમાં ઠાર કરાયા છે. બીજી તરફ બીજી એજન્સીઓનું માનવું છે કે તેઓ આતંકવાદી બીજા સમૂહોનો હિસ્સો હતા. આતંકવાદી હૂમલાનાં આ એલર્ટ મુદ્દે જમ્મુ કાશ્મીર ખાસ કાશ્મીર ખીણમાં સુરક્ષાદળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ સંદર્ભમાં આગળ આગામી દિવસોમાં 2-3 દિવસ ઘણા મહત્વનાં સમજવામાં આવી રહ્યા છે.