ગુજરાતના દરિયા કિનારે આતંકીઓ ઘુસ્યા હોવાના ઈનપુટને પગલે સોમનાથ મહાદેવની સુરક્ષામાં વધારો કરાયો છે. સોમનાથ મંદિરે આવતા તમામ દર્શનાર્થીઓ વાહનો અને ગેસ્ટ હાઉસોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સોમનાથ મંદિરે બોંબ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ દ્વારા મંદિર પરિસર આસપાસ કડક ચેકિંગ હાથ ધરાયું છે.
દીવ અને ગીર સોમનાથના દરિયા કિનારાની પણ મરિન પોલીસ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે. મરિન પોલીસ દ્વારા 30 જેટલા મરિન કમાન્ડો તહેનાત કરી દેવાયાં છે અને દરિયામાં પેટ્રોલિંગ હાથ ધરાયું છે. દરિયાની અંદરની દરેક ગતિવિધિ પર બાજ નજર રખાઈ રહી છે. તો મધ દરિયે માછીમારોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.