ભારતીય પ્રજા ખાસ કરીને દાન-પુણ્ય કરવામાં બહુ માનતી હોય છે. અને ખાસ કરીને ભારતીય ધર્મગ્રંથોમાં પણ દાનનો એટલો જ મહીમા આલેખવામાં આવ્યો છે. પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ના આવે તો કરેલ દાનનું પુણ્ય પ્રાપ્ત થતું નથી.
- ભારતના પૌરાણીક ગ્રંન્થ સ્કંદ પુરાણ અનુસાર ખોટી રીતે કમાયેલા પૈસાનું દાન કરવાથી પુણ્ય મળતું નથી અને વ્યક્તિ મોટા પાપનો ભોગ બને છે.
- આપણા શાસ્ત્રો અનુસાર ગૌદાન ભુદાન અને વિદ્યાદાનનો મહિમા અપરંપાર છે. આ 3 વસ્તુનું દાન કરવાથી ઘણો ફાયદો થાય છે. અને તેનુ પુણ્ય 7 પેઢી સુધી મળે છે.
- કોઇ ભુખ્યા માણસને અન્નદાન કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે.તલનું દાન કરવાથી નિ:સંતાન લોકોને સંતાનસુખીની પ્રાપ્તિ થાય છે.
- વિદ્યાદાનનો મહિમા ભારતીય ધર્મગ્રંથોમાં ખાસ રહેલો છે.
- જે વ્યક્તિ પવિત્ર મન રાખીને દાન-પુણ્ય કરવામાં આવે તો તેનુ ફળ સ્વરૂપે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.