સુરતઃ પૂણેની હિંસાના પડ્ઘા સુરતમાં પણ પડયા છે. ત્યારે હવે સુરતના ઉધાના વિસ્તારમાં દલિત સમાજના લોકો દ્વારા ચક્કાજામ કરવામા આવ્યુ. દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ભાજપના કાર્યાલયે પહોંચ્યા હતા. રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને પરિસ્થિતિને કાબૂ લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે પૂણેના કોરેગાંવ-ભીમામાં ભડકેલી હિંસાથી સમગ્ર મહારાષ્ટ્રમાં તવાણની સ્થિતિ છે. પુણે હિંસાની આગ રાજ્યના 12 જિલ્લાઓમાં પ્રસરી ચૂકી છે. ત્યારે આઠ દલિત સંગઠનોએ આ હિંસાના વિરોધમાં મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું હતું. દલિત સંગઠનોનો આરોપ છે કે કોરેગાંવ ભીમામાં દલિત માર્ચને કેટલાક હિન્દુવાદી સગંઠનોએ અટકાવી હતી. આ મુદ્દે બે હિન્દુવાદી સંગઠનો શિવ પ્રતિષ્ઠાન અને સમસ્ત હિન્દુ મોર્ચા વિરુદ્ધ હિંસા ભડકાવવા મુદ્દે FIR પણ થઈ ચૂકી છે.
મહત્વનું છે કે તો માર્ચ પૂર્વે સભા કરનારા જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે પણ પુણેમાં પોલીસ ફરિયાદથી છે. આ તરફ મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા 100થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે પુણેના કોરાગાંવમાં ભીમામાં શોર્ય યાજ્ઞા પ્રસંગે આયોજીત દલિત માર્ચમાં હિંસા થઈ હતી. જેને પગલે એકનું મોત થયું હતું. માર્ચ દરમિયાન દલિતો અને મરાઠા સામ-સામે આવી ગયા હતા. હિંસાને પગલે 40થી વધુ ગાડીઓ પર પથ્થરમારો અને આગજની કરવામાં આવી.
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. રાજ્યના અનેક ભાગોમાં દલિત સમુદાય રસ્તા પર ઉતરી આવ્યા છે. ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. તો આ તરફ ઉનાકાંડની જેમ આ ઘટનાને લઈને પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. રાહુલ ગાંધીએ સ્થાનિક ભાજપ સરકારની ટીકા કરી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓને મહારાષ્ટ્ર રવાના કર્યા છે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલે પણ મહારાષ્ટ્ર જવાની જાહેરાત કરી છે.