રાજકોટઃ શહેરમાં મુખ્યમંત્રી રૂપાણી સામે લડી રહેલા ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદન આપી ભાજપ અને પોલીસ પર આક્ષેપ લગાવતા કહ્યું કે દારૂ અને અસામાજિક તત્વોને ભાજપ પ્રોત્સાહન આપી રહ્યું છે.
DCP સહીતના પોલીસ અધિકારીઓ સામે ભાજપના કાર્યકરો તરીકે કામ કરી રહ્યાનો આક્ષેપ છે. સબંધિત અધિકારીઓની બદલી કરવા અને ચૂંટણી સુધી તેઓને મતદાન પ્રક્રિયા દરમિયાન દૂર કરવાની માંગણી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ પશ્ચિમના કોંગ્રેસી ઉમેદવારના ભાઈ પર જીવલેણ હુમલાની ઘટના સર્જાઇ હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ દીપુ રાજ્યગુરુ પર જીવલેણ હુમલો થયો હતો.
દીપુ જ્યારે પોતાના ભાઈ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે આ હૂમલાની ઘટના બની હતી. રાજકોટના રૈયા રોડ પાસે કનૈયા ચોકમાં કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો.