BCCIની સીનિયર સિલેક્શન કમિટીએ સાઉથ આફ્રિકા વિરુદ્ઘની વનડે સીરિઝ માટે 17 મેમ્બર ધરાવતા ઇન્ડિયન સ્ક્વૉડની જાહેરાત કરી દીધી છે. મુંબઇમાં શનિવારે થયેલી મીટિંગ પચતી પ્લેયર્સના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ પર બંને ટીમોની વચ્ચે 6 મેચની વનડે સીરિઝ રમાશેજે 1-16 ફેબ્રુઆરી સુધી ચાલશે. ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી રહેશે. જ્યારે મોહમ્મદ શામી અને શાર્દુલ ઠાકુરને વનડે ટીમમાં પરત લેવામાં આવ્યા છે.
સાઉથ આફ્રિકા જતી ટીમ ઇન્ડિયામાં એમ. એસ .ધોની અને હાર્દિક પંડ્યા સહિત 10 બેટ્સમેન છે. શ્રેયસ અય્યરને શ્રીલંકાની વિરુદ્ઘના સારા પરફોર્મન્સ માટે જગ્યા મળી છે.
અશ્વિન-જાડેજાને લઇને સિલેક્ટર્સને આપ્યુ નિવેદન:
કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલને ટીમમાં જગ્યા આપવા પર અને અશ્વિન-જાડેજાને ટીમની બહાર રાખવના સવાલ પર ચીફ સિલેક્શન કમિટીના ચેરમેન MSK પ્રસાદે કહ્યુ કે ''અમારી પાસે ડોમેસ્ટિક મેચ ઓછી નથી. આ બંને (અશ્વિન-જાડેજા) ધણું ક્રિકેટ રમ્યુ છે અને તેમની પાસે ઘણી વિકેટો છે. જ્યારે યુવા સ્પિનર્સ (કુલદીપ-ચહલ)ને ટ્રાઇ કરવા પર એક માત્ર કારણ એ જ છે કે તેઓ આપણા માટે મેચ જીતી રહ્યા છે. તેથી તેમને વધારે રમાડી શકાય.''