અગામી શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. ભારત અને શ્રીલંકા વચ્ચે 26 જુલાઈથી લઈ 6 સપ્ટેમ્બર સુધીમાં 3 ટેસ્ટ મેચ અને 5 વન-ડે મેચ અને 1 ટૂ-20 મેચ રમવામાં આવશે. રોહિત શર્મા ઈશાંત શર્માની ટેસ્ટ ટીમમાં વાપસી કરવામાં આવી છે આમને કરૂણ નાયરની જગ્યાએ ટીમમાં લેવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યાને પહેલીવાર ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમમાંથી બહાર થનાર ખેલાડીઓમાં કરૂણ નાયર શ્રેયસ અય્યર અને સ્પિનર જયંત યાદવનું નામ શામેલ છે.
ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસમાં 21 અને 23 જુલાઈએ પ્રેક્ટીસ મેચ રમશે. ત્યારબાદ 26 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી ત્રણ ટેસ્ટ મેચ રમાશે. આ તમામ મેચ બારતીય સમય અનુસાર 10 વાગ્યે શરૂ થસે. ત્યારબાદ 20 ઓગસ્ટથી લઈ 3 સપ્ટેમ્બર સુધી 5 વન-ડે રમાશે. જ્યારે ટૂ-20 મેચ 6 સપ્ટેમ્બરે રમવામાં આવશે.