ભારતીય ક્રિકેટ ટીમન પ્લેયર કેદાર જાધવે સુરતમાં મહેન્દ્ર સિંહ ધોનીની દુકાન ખોલી છે. બુધવારે સુરતમાં માહીના લાઇફસ્ટાઇલ બ્રાન્ડના નવા સ્ટોરની ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. કંપનીએ આ સ્ટોર ખોલ્યા પહેલા 19 નવેમ્બરના રાજસ્થાનના અજમેરમાં એક સ્ટોરનું પણ ઉદ્ઘાટન કર્યુ હતુ. તમને જણાવી દઇએ કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 'સેવન' નામની કંપનીના માલિક છે. જે કેઝ્યુઅલ વેર સ્પોર્ટ્સ વેર અને ફૂટવેર બનાવે છે. ખાસ વાત એ છે કે ધોનીની પોતે આ બ્રાન્ડના એમ્બેસેડર છે. કંપનીના સ્ટોર રાંચી અને અજમેરમાં પહેલાથી છે અને આ બ્રાન્ડની પ્રોડક્ટ અલગ-અલગ શહેરોના મૉલ્સની સાથે સાથે ઑનલાઇન પણ મળે છે.
સ્ટોરના ઉદ્ઘાટન પછી 'સેવન' ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર આ અંગેનું ટ્વીટ કરવામાં આવ્યુ છે જેમાં લખવામાં આવ્યુ છે કે ''છેવટે અમારા સ્ટાર કેદાર જાધવે સુરતમાં રિબન કાપી.'' સાથે જ કેદાર જ્યારે દુકાનની બહાર રિબન કાપી રહ્યો હતો ત્યારે તેની ફોટો પણ પોસ્ટ કરવામાં આવી હતી.
કેદાર જ્યારે અહીંયા સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં માટે આવ્યો હતો ત્યારે જ લોકોની ભીડ જમા થઇ ગઇ હતી. સ્ટોરના ઉદ્ઘાટન પછી કેદારે ફેન્સની સાથે સ્ટોરમાં ફોટો ક્લિક કરાવી અને તેમને ઓટોગ્રાફ પણ આપ્યા.
ધોનીએ આ બ્રાન્ડ ફેબ્રુઆરી 2016માં 'આર.એસ. સેવન લાઇફસ્ટાઇલ'ની સાથે પાર્ટનરશિપ કરીને લોન્ચ કરી હતી. કંપની કપડાં અને ફેશન એક્સસરીઝ સેક્શન આર.એસ. સેવન લાઇફસ્ટાઇલની પાસે છે. ત્યારે ફૂટવેર સેક્શન ધોનીની પાસે છે. રસપ્રદ વાત એ છે કે કંપનીનું નામ અને ધોનની જર્સી (વનડે અને T-20)નો નંબર એક જ છે. ભારત સિવાય આ બ્રાન્ડ અમેરિકા અને મિડલ ઇસ્ટમાં જોવા મળે છે.