શ્રીનગરઃ નાપાક પાકિસ્તાને સતત ચોથા દિવસે પણ જમ્મૂ-કશ્મીરના નૌશેરા રાજૌરી અને અખનૂર સેક્ટરમાં સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. રાજૌરી અને અખનૂર સેક્ટરમાં જવાનોને નિશાન બનાવતા ભારે ગોળીઓ પણ વરસાવી છે.
જોકે સામે પક્ષે ભારતીય જવાનોએ પણ નાપાક પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. સતત ચાર દિવસથી નાપાક પાકિસ્તાન ગોળીઓ વરસાવી રહ્યું છે જેને લઈને સોમવારે પણ સરહદી વિસ્તારની તમામ શાળાઓ બંધ રહેશે. સેના દ્વારા અત્યાર સુધીમાં 40 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
મહત્વનું છે થોડા દિવસ પહેલા ભારતે નાપાક પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા તેના 7 રેન્જર્સને ઠાર કર્યા હતા. જે બાદ પાકિસ્તાન જાણે ભળકી ઉઠયું છે.