ટીમ ઇન્ડિયાના શાનદાર સ્પિનર રવિન્દ્ર જાડેજા હાલમાં તો ટીમની બહાર ચાલી રહ્યો છે અને પોતાના ઘર પર જ આરામ કરી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર તે સતત એક્ટિવ રહેતો હોય છે. જાડેજાએ તાજેતરમાં જ પોતાના બંગલાની ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરતા કેપ્શન લખ્યુ છે કે 'ટૂંક સમયમાં તેનું ઘર તૈયાર થવા જઇ રહ્યુ છે'. ગુજરાતના જામનગરમાં રવિન્દ્ર જાડેજામાં તે ઘર બનાવી રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ પોતાના ઘરનું નામ 'ક્રિકેટ બંગલા' રાખ્યુ છે. ઘરના ગેટની બહાર ઉભેલા જાડેજાએ ફોટો ક્લિક કરાવી હતીતેઓ ટૂંક સમયમાં આ ઘરમાં શિફ્ટ થઇ જશે.
હાલમાં રવિન્દ્ર જાડેજા વનડે અને T-20 ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે પરંતુ તેના ટેસ્ટ ક્રિકેટના ફોર્મને ધ્યાનમાં રાખીને સાઉથ આફ્રિકાના પ્રવાસ પરની 3 ટેસ્ટ મેચની સીરિઝમાં ટીમ ઇન્ડિયામાં જગ્યા આપવામાં આવી છે.