ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને વિરાટ કોહલી અને બોલીવુડની જાણીતી અભેનેત્રી અનુષ્કા શર્મા ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં સોશ્યિલ મીડીયામાં ફરી રહેલ બંન્ને એક તસ્વીરને કારણે તે વધુ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા હતા. આ ફોટો એક દવાખાનાનો છે જેમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જોવા મળે છે. હાલ આ ફોટ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ફિલ્મસ્ટારને એક્યુંપંક્ચર થેરાપી કરી આપતા જાણીતા ડો. જુમ ગનડિયા પાસે તેઓ ઇલાજ માટે પહોંચ્યા હતા. જેનો ખુલાસો બંનેએ પોતાના ઇંસ્ટાગ્રામ પર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના બ્લોકબાસ્ટર ખેલાડી અને બોલીવુડની જાજરમાન અભિનેત્રી અનુષ્કા શર્મા છેલ્લા કેટલાક સમયથી ખાસ સબંધ ધરાવે છે.
હાલમાં જ એક મળેલ માહિતી અનુસાર કોહલીએ BCCI ને જણાવ્યું હતુ કે તે વ્યક્તિગત કારણોસર ડિસેમ્બર માસ સુધી વ્યસ્ત છે. જો કે હવે સમય જ કહેશે કે ડિસેમ્બર માસમાં અનુષ્કા અને વિરાટ પોતાના ચાહકોને નવા વર્ષે શું ભેટ આપે છે.