ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી વન-ડે મેચ રમાશે. ત્યારે બપોરે 2.30 કલાકે શ્રીલંકાના પાલેક્મ ખાતે મેચ શરૂ થશે.પાંચ મેચની વન-ડે સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. જ્યારે પ્રથમ વન-ડેમાં ભારતે શ્રીલંકાને હાર આપી હતી જેમાં ઓપનર શિખર ધવને શાનદાર સદી ફટાકારી હતી.ભારત બીજી મેચ પણ જીતવા માટે દાવેદાર માનવામાં આવી રહ્યું છે.શિખર ધવન કેપ્ટન કોહલી સહિતના ખેલાડીઓ શાનદર ફોર્મમાં ચાલી રહ્યા છે. તો બીજી બાજુ અક્ષર પટેલ યુજવેદ્ર ચહલ હાર્દિક પંડયા સહિતના બોલરો ધમાકેદાર ફોર્મમાં ચાલી રહ્યા છે તેથી ભારત બીજી વન-ડેમાં મોસ્ટ દાવેદાર માનવામાં આવી રહ્યું છે.
અન્ય ભારત- શ્રીલંકા સીરીઝમાં રાષ્ટ્રગીત નહીં આ જ કારણ છે
સૂત્રો મુજબ બંને દેશોના રાષ્ટ્રગીત પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ શરૂ થાય છે. જો કે ભારત અને શ્રીલંકા વચ્ચેની પાંચ-વન ડે સિરીઝના બાકીના ચાર વનડેમાં રાષ્ટ્રગીત ગવાશે નહીં. આ માહિતી શ્રીલંકાના ક્રિકેટ ટીમના મીડિયા મેનેજર દિનેશ રત્નસીંગહેમ દ્વારા આપવામાં આવી હતી. બીજી મેચ પેલિકે સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. શ્રીલંકાના ટીમના મીડિયા મેનેજરએ જણાવ્યું હતું કે ODI શ્રેણીના બાકીના મેચોની શરૂઆતમાં બન્ને દેશોના રાષ્ટ્રગીત નહીં ગવાય.તેમણે એમ પણ કહ્યું હતું કે શ્રીલંકામાં તેઓ શાસન કરે છે કે કોઈ પણ શ્રેણીના પ્રથમ મેચમાં રાષ્ટ્રીય ગીત ગવાયું છે.