પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સાઉથ આફ્રિકામાં ટીમ ઇન્ડિયાના ખરાબ પરફૉર્મન્સનો બચાવ કરતા કહ્યુ કે ''ટીમમાં ઘણા સકારાત્મક પહેલું છે જેમાં બૉલર્સનું પરફૉર્મન્સ શાનદાર રહ્યુ હતુ.'' વિરાટ કોહલીના નેતૃત્વમાં વર્લ્ડ રેન્કિંગના પહેલા સ્થાન પર ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકાની 3 મેચની સારિઝમાં 0-2થી પાછળ છે.
સીરિઝની ત્રીજી મેચ જોહાનિસબર્ગ ખાતે રમાશે. ટેસ્ટ મેચમાંથી સંન્યાસ લીધા પછી વનડે મેચમાં રમતા આ દિગ્ગજ પ્લેયર કહ્યુ કે ''હું કહું છું કે સકારાત્મક પહેલૂ જુઓ. ટેસ્ટ મેચની જીતને માટે તમારે 20 વિકેટ લેવી પડે છે અને અમે 20 વિકેટ લીધી છે. જો તમે 20 વિકેટ નથી લઇ શકતા તો તમે ટેસ્ટ મેચ ડ્રો કરવાનું વિચારી શકો છો. ટેસ્ટ મેચ ડ્રો કરવા માટે તમારે ખૂબ જ રન કરવી પડશે અને વિપક્ષી ટીમના રન બનાવવાથી રોકવા જોઇએ.''
ધોનીની વાત પાછળનો મૂળ મુદ્દો ભારતીય બૉલર જો 20 વિકેટ લઇ રહ્યા છે. તો જીતથી વધારે દૂર નથી. તેણે કહ્યુ કે ''તમે ભારતમાં રમો કે વિદેશમાં પરંતુ જો તમે 20 વિકેટ નથી લઇ રહ્યા તો તમે ટેસ્ટ મેચ નથી જીતી શકતા. આ સકારાત્મક પહેલૂ છે કે આપણે 20 વિકેટ લઇ રહ્યા છે. તેનો મતલબ એમ છે કે અમે હંમેશા મેચ જીતવાની સ્થિતિમાં રહીશું અને એક વખત રન બનાવવાનું શરૂ કરી દઇશું.''
IPLમાં શરૂઆતી 8 સિઝનમાં ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)ની નેતૃત્વ કરનાર ઝરાખંડના આ વિકટેકીપરે કહ્યુ કે ''મેં CSK સિવાય બીજી કોઇ ફ્રેન્ચાઇઝી વિશે નથી વિચાર્યુ. ચેન્નાઇ મારું ઘર છે. અહીંયાના ફેન્સે મારી મને પોતાની જેમ દત્તક લીધો છે.'' સ્પોર્ટ ફિક્સિંગ પ્રકરણમાં શામેલ થવાનો આરોપમાં 2013માં CSK પર 2 વર્ષનો પ્રતિંબધ લાગ્યો છે જે પછી ટીમ આ સિઝનમાં ફરીથી પરત આવી રહી છે.
ધોનીએ કહ્યુ કે ''IPLની ઘણી ટીમોએ મને કોન્ટેક્ટ કર્યો પરંતુ મેં CSK સિવાય કોઇ બીજી ટીમ માટે વિચાર્યુ નથી. '' ધોની સિવાય CSKએ સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજાને રિટેન કર્યા છે.