જ્હોનિસબર્ગઃ ટીમ ઈન્ડિયાને આખરે એ જીત મળી ગઈ જેની તે છેલ્લા 26 વર્ષથી રાહ જોઈ રહી હતી. ટેસ્ટ સિરીઝમાં પ્રથમ બે ટેસ્ટ ખરાબ રીતે હાર્યા બાદ ટીમ ઈન્ડિયાનું ટેસ્ટ સિરીઝ જીતવાનું સ્વપ્ન તૂટી ગયું હતું.
જોકે જ્હોનિસબર્ગમાં ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને મળેલી જીત બાદ બધુ જ બદલાઈ ગયું છે. ટીમ ઈન્ડિયાએ 6 મેચની સિરીઝમાં પાંચમી મેચમાં જ તમામ હાર અને ઈતિહાસને ભુલાવીને દક્ષિણ આફ્રિકાને પ્રથમ વાર તેની જ ધરતી પર ધૂળ ચટાડી દીધી છે.
મહત્વનું છે કે ટીમ ઈન્ડિયાએ 26 વર્ષમાં પ્રથમ વખત વન-ડે સિરીઝ પર કબજો કર્યો છે. જોકે ટીમ ઈન્ડિયાને આ સિરીઝ પર કબજો મેળવવામાં પાંચ હિરોનો મહત્વનો રોલ રહેલો છે. જેમાં વિરાટ કોહલી શિખર ધવન યજુવેન્દ્ર ચહલ કુલદીપ યાદવ અને રોહિત શર્મા. જોકે એક મેચમાં રહાણેનું બેટથી પણ સારા રન નીકળ્યા હતા.