કાનપુર : હાલની વનડે સીરીઝનાં નિર્ણાયક મેચ માટે ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ટીમો કાનપુર પહોંચી ચુકી છે. અહીં ગુરૂવારે સાંજે પહોંચેલા ભારતીય ખેલડીઓનું ભગવા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખેલાડીઓને ભગવા શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ તેમણે ફુલ પણ આપવામાં આવ્યા. હોટલને પણ પારંપારિક અંદાજમાં સજાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ જે હોટલમાં રોકાઇ છે તેને દિવાશી સજાવવામાં આવી છે. આ વખતે અહીં ખેલાડીઓને દેશી કુલ્લડમાં ચા આપવામાં આવશે. સાથે જ ખેલાડીઓને બનારસી પાન ખવડાવવામાં આવશે. ચાટની લારી પણ લગાવવામાં આવશે. જેથી ખેલાડીઓ પ્રેક્ટિસમાં જતા સમયે ચાટનો સ્વાદ માણી શકે. પ્લેયર્સનાં મસાજ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને અરોમાં થેરાપી થાઇ મસાજ ડિસ્ટ્રેસ મસાજ હોટ સ્ટેન થેરાપી ઉપરાંત સ્વીડિશ મસાજની સુવિધા પણ આપવામાં આવશે.
ત્રણ વન ડે મેચોની સીરિઝમાં હાલ ટીમ ઇન્ડિયા 1-1ની બરાબરી પર છે. પુણેમાં રમાયેલ બીજી વનડેમાં વિરાટ બ્રિગેડે કિવિઓને 6 વિકેટથી હરાવ્યું હતું. હવે રવિવારે કાનપુરનાં ગ્રીન પાર્કમાં સીરીઝનો નિર્ણય થશે. ભારતીય ટીમ એક ઘરેલુ સીરીઝ જીતીને પોતાનાં રેકોર્ડને વધારે સારૂ કરાવવા માટે ઉતરશે.