મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલ પ્રથમ વન-ડેમાં ન્યુઝીલેન્ડે બાજી મારી લીધી છે. ન્યુઝીલેન્ડની 6 વિકેટે શાનદાર જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરી 50 ઓવરમાં 8 વિકેટના નુકશાને 280 રન કર્યા હતા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડ ટીમે 49 ઓવરમાં 4 વિકેટના નુકશાને 284 રન બનાવી પ્રથમ વન ડે મેચ પર કબ્જો કરી લીધો છે.
મહત્વની વાત એ છે કે આજે વિરાટ કોહલીએ 31મી શાનદાર સદી ફટકારી. વિરાટ કોહલીએ 121 રન બનાવી શાનદાર પ્રદર્શન કર્યું હતું જેની મદદથી ભારતીય ટીમ 280 રન બનાવી શક્યું હતું પરંતુ ન્યુઝીલેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કરી જીત મેળવી લીધી છે.