ટીમ ઈન્ડીયા અને શ્રીલંકા વચ્ચે એકમાત્ર ટી-20 મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકાએ ટીમ ઈન્ડીયાને 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈન્ડીયાએ પીછો કરી 19.2 ઓવરમાં 173 રન બનાવી 7 વિકેટે જીત મેળવી લીધી છે.
આજે ટીમ ઈન્ડીયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ 20 ઓવરમાં 7 વિકેટના નુકશાને 170 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી દિલશાન મુનાવીરાએ સૌથી વધારે 53 રન બનાવ્યા જ્યારે આશાન પ્રિયંજને 40 રનની પારી રમી હતી. ટીમ ઈન્ડીયા તરફથી યુજુવેન્દ્ર ચહલેએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી.
જો શ્રીલંકા ટીમની રમતની વાત કરીએ તો સૌપ્રથમ શ્રીલંકા ઉપુલ થરંગા 5 રને આઉટ થયો હતો. બીજી વિકેટ નિરોશન ડિક્વેલાની પડી હતી. ત્યારબાદ એજોંલો મેથ્યુઝ 7 રન દિલશાન મુનવીરા 53 રન થિસારા પરેરા 11 રન દાસુન શનકા 00 રન અને સીકુગે પ્રસન્ના 11 રને આઉટ થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડીયાના કપ્તાન વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો અને શ્રીલંકાને પ્રથમ બેચટિંગ સોંપી હતી. ભારતીય ટીમમાં અક્ષર પટેલ અને લોકેશ રાહુલની વાપસી થઈ છે જ્યારે હાર્દિક પંડ્યા આજે મેચ નથી રમી રહ્યો.