નવી દિલ્હી: પેરિસમાં આવતા મહિવા ફાઇનેન્શવ એક્શન ટાસ્ક ફોર્સની મહત્વની બેઠકમાં ભારતના નિશાન પર પાકિસ્તાન રહેનાર છે. ભારત આતંક વિરુદ્ધ પાકિસ્તાનની નબળી કાર્યવાહી અને તેના વલણનો મુદ્દો ઊઠાવી શકે છે. આ બેઠકમાં પાકિસ્તાન દ્વારા આતંકી સંગઠનોનો મદદ પહોંચાડવા અને આતંક વિરુદ્ધ પર્યાપ્ત કડક પગલું નહીં ઊઠાવવાના વલણ પર પણ ભારત પોતાની નાખુશી વ્યક્ત કરશે.
માનવામાં આવી રહ્યું છે કે પેરિસમાં થનાર આ મહત્વના સંમેલનમાં પાકિસ્તાનની ઉપર ખૂબ જ દબાણ રહેવાનું છે. પાકિસ્તાન સમર્થિક આતંકી સંગઠન જેશ એ મોહમ્મદ અને લશ્કર એ તૈયબા દ્વારા ભારતમાં ફેલાવી રહેલ આતંક પર ભારત પોતાનો કડક વિરોધ નિશ્વિત જ જારી કરશે. તાજેતરમાં જ સુંજવાં આર્મી કેમ્પ અને શ્રીનગરના કરણ નદર બીએસએફ કેમ્પમાં આતંકી વારદાત અંજામ આપવામાં આવ્યા.
જણાવી દઇએ કે એપએટીએફ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જે વિવિધ દેશોની વચ્ચે મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગ જેવા મામલા જોવે છે. 18 થી 23 ફેબ્રુઆરી સુધી પેરિસમાં એફએટીએએફ પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક સમયમાં આતંકીઓને મદદ પહોંટાડવા માટે બનાવવામાં આવેલા કાયદાના રસ્તાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસેને તાજેતરમાં જ આતંક રોધી કાદા 1997માં સંશોધન માટે એક અધ્યાદેશ પર હસ્તાક્ષર કરી દીધો છે.
નવા કાયદા હેઠળ આતંકી સંગઠનોના બેંક અકાઉન્ટ સીલ કરવા. આતંકીઓની વિરુદ્ધ કાર્યવાહી જેવા ઘણા પક્ષ છે. આ નવા બિલ બાદ જમાત ઉદ દાવાને આતંકી સંગઠન કરાર આપવામાં આવ્યો.