દીકરી બોજ નહીં પરંતુ ઘરની લક્ષ્મી છે... આ વાત ભારતના મોટાભાગના લોકોને હજુ પણ સમજમાં આવી રહી નથી આજે પણ દેશમાં લોકો પુત્રની ઇચ્છામાં દીકરીઓને ગર્ભમાં મારી રહ્યા છે જો કે હવે દેશમાં આ વાતને લઇને કાયદો સખત કડક છે પરંતુ તેમ છતાં પણ જે દેશની સ્થિતિ છે એ ખૂબ જ ચિંતાજનક છે. કારણ કે ઇકોનોમિક સર્વે 2017 18ની રિપોર્ટ કહે છે કે છોકરાની ઇચ્છામાં દેશમાં 2.1 કરોડ છોકરીઓ પેદા થઇ છે તો સર્વે એવું પણ કહે છે કે ગર્ભમાં દીકરી હોવાને કારણે 6.3 કરોડ ભ્રૂણોની હત્યા પણ કરી દેવામાં આવી છે.
સર્વેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે દર વર્ષે આશરે 20 લાખ દીકરીઓ આ પ્રકારથી ગર્ભમાં મારી નાંખવામાં આવે છે એટલા માટે ભારતના કૃષિ અને બિનકૃષિ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારવાની આવશ્યક્તા છે અને મહિલાઓના સશક્તિકરણ પર જોર આપવું જોઇએ ત્યારે જ લૈંગિક અસમાનતામાં કમી આવશે.
દેશમાં દીકરીઓને લઇને વિચારો બદલાયા છે પરંતુ હજુ પણ ઘણા લોકો જૂની માનસિક્તામાં જીવી રહ્યા છે. આમ તો દેશના રોજગારમાં પણ મહિલાઓની ભાગીદારી ઘટી રહી છે. વર્ષ 2005 06માં મહિલાઓની હિસ્સેદારી 36 ટકા હતી જે 2015 16માં ઘટીને 24 ટકા રહી ગઇ.
આર્થિક સર્વેમાં આ વાત પર જોર આપવામાં આવ્યું છે કે ભારતીય મહિલાઓની વચ્ચે ગર્ભ નિરોધકનો ઉપયોગ નિરાશાજનક છે જેનાથી બાળક પેદા કરવા પર મહિલાઓનું નિયંત્રણ રહેતું નથી જેનાથી એમના જીવન પર પણ ખરાબ અસર પડે છે એમનું સ્વાસ્થ્ય પણ સતત નબળું થતું જાય છે.