ઇસ્લામાબાદ: પાકિસ્તાનની અલગ અલગ જેલોમાં ભારતના કુલ 457 કેદી સજા ભોગવી રહ્યા છે જેમાં 399 માછીમારોનો સમાવેશ થાય છે. ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયુક્તને પાકિસ્તાન સરકારે એક લિસ્ટ સોંપીને એનો ખુલાસો કર્યો છે. પાક વિદેશ મંત્રાલય અનુસાર કેદીઓની યાદી ભારતને સોંપવાનું પગલું 21 મે 2008 વાળા ઇન્ડો પાક કાઉન્સિર એક્સેસ એગ્રીમેન્ટના પ્રાવધાનો અનુરૂપ હતું.
આ સમજૂતી પ્રમાણે બંને દેશો પોતપોતાના કેદીઓના લિસ્ટને એક્સચેન્જ કરે છે. વર્ષમાં બે વખતે લિસ્ટ એક્સચેન્જ થયા છે. પાકિસ્તાને સોમવારે નિવેદન જારી કરીને કહ્યું તે એમને ભારતીય ઉચ્ચાયુક્તને 457 કેદીઓનું લિસ્ટ સોંપ્યું છે જેમાં 58 સામાન્ય નાગરિકો અને 399 માછીમારો છે.
ઇસ્લામાબાદે સાથે એવું પણ કહ્યું ભારત પણ નવી દિલ્હીમાં પાક કેદીઓનું આવું લિસ્ટ પાકિસ્તાન ઉચ્ચાયુક્તને સોંપશે. એમેન આગળ કહ્યું કે પાકિસ્તાન 8 જાન્યુઆરીએ ભારતના 146 માછીમારોને મુક્ત કરશે.
ભારત અને પાકિસ્તાનના માછીમારોનો જળક્ષેત્રનું ઉલ્લંઘન કર્યા બાદ એમની ધરપકડ કરવામાં આવે છે.