ચીનઃ પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ મુલાકાત દરમિયાન વિદેશ સચિવ ગોખલેએ પ્રેસ પરિષદ સંબોધી હતી. વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે આ મુલાકાત દરમિયાન બંન દિગ્ગજો વચ્ચે ચાર બેઠક યોજાઈ.
જેમાં બંને દેશો સીમા પર શાંતિપૂર્ણ માહોલ બની રહે તે માટે સહતમ થયા છે. દિલ્હીમાં જ નક્કી કરવામાં આવ્યું હતું કે અહીં કોઈ કરાર કરવામાં આવશે નહીં. પરંતુ બંને દેશો કેટલાંક મુદ્દાઓ પર સહમત થયા છે. ભારત-ચીનની સરહદો પર શાંતિ બની રહેશે.
અહીં પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે પર્યટન વેપાર ગંગાનદીની સફાઈ ખેલકૂદ વગેરે વિષય પર ચર્ચા કરી હતી. તો પીએમ મોદીએ સ્ટ્રેન્થની વાત કરતા જે સી જિનપિંગને ખૂબ જ પસંદ આવી હતી. ભારત ચીનની ફિલ્મો પણ બંને દેશમાં બતાવવામાં આવે એ પણ ચર્ચા થઈ હતી.