ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની T-20 શ્રેણીનો આજે પહેલો મેચ જોહાનિસબર્ગના વેન્ડરર્સ સ્ટેડિયમમાં રમાવા જઈ રહ્યા છે. દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લિધો છે અને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવા માટેનો આમંત્રણ આપ્યો છે. ભારતીય ટીમમાં સુરેશ રૈના એક વર્ષ પછી પરત ફર્યો છે જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી આ મેચમાં એબી ડી વિલિયર્સ રમી નહીં શકે.
રૈના 2015થી વનડે રમ્યો નથી. થોડા વર્ષો પહેલા ઇંગ્લેન્ડ સામેની T-20 શ્રેણીમાં રમ્યો હતો. ત્યારબાદ રૈનાએ ત્રણ મેચોમાં એક પચાસની મદદથી 104 રન બનાવ્યા હતા.
ગુજરાત લાયન્સ તરફથી IPLમાં સારી કામગીરી હોવા છતાં રૈનાની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. બાદમાં એવું જાણવા મળ્યું હતું કે તે યો-યો ટેસ્ટ પાસ કરી શક્યો ન હતો અને તેથી તેની પસંદગી નહોતી કરાઈ.