સુરતઃ ગુજરાત રાજ્યના વનમંત્રી ગણપત વસાવાએ સુરતમાં ઉશ્કેરણીજનક ભાષણ કર્યાનું સામે આવ્યું છે. તેમના મતવિસ્તાર મોસાલી ખાતે ગૌરવયાત્રાની જાહેરસભાના મંચ પર ઈંડા ફેંકાયા હતા. જે બાદ વનમંત્રીએ કાર્યકરોને ઉશ્કેરણીજનક ભાષણ કર્યું. જે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. બનાવમાં એમ હતું કે ભિલીસ્તાન ટાઈગર સેનાના કાર્યકરો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા. જે બાદ વસાવાએ ભાજપ કાર્યકરોને ઉશ્કેર્યા.
વસાવાએ ઉશ્કેરતા કહ્યું કે આજે ધોલાઈ કરી લો એકેયને છોડવાના નથી. પોલીસનું પણ ન માનતા. જે બાદ ભાજપના કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા. અને ભિલીસ્તાન ટાઈગર સેનાના કાર્યકરો પર તૂટી પડયા હતા. ભાજપ કાર્યકરોએ ભિલીસ્તાન ટાઈગર સેનાના કાર્યકરોને માર માર્યો. વસાવા દ્વારા સભામંચ પરથી ઉશ્કેરણીજનક ભાષણ કરતા રાજકીય મામલો ગરમાયો છે.